ખોડીયાર મા ના ફોટા ઉપર ક્લિક કરીને આશીર્વાદ લઇ લે દીકરા - Kitu News

દરેક દુઃખ ને દુર કરનારી માં માટેલ વાળી, જાણો ખોડીયાર માતાનો સંપૂર્ણ ઈતિહાસ, શેર કરો, માટેલ

વાળી દરેકની ઈચ્છા પૂરી કરશે જય માતાજી.
કહેવાય છે કે ગુજરાતની ભૂમિ એટલે સંતો-મહંતોની

ભૂમિ. ઠેરઠેર જગ્યાએ દેવતાઓ અને સંતના મંદિરો આવેલા છે. અને દરેક લોકો ભાવ ભક્તિપૂર્વક તેને

પૂજતા હોય છે. આજે અમે તમને માટેલ ધરાના ખોડીયાર માતા વિશે જણાવીશું. તે કેવી રીતે પ્રગટ

થયા અને મંદિર ક્યાં આવેલું છે તેની સંપૂર્ણ માહિતી આજે અમે તમને જણાવીશું. મોરબી જીલ્લાના

વાંકાનેર તાલુકામાં માટેલ ગામ માં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. દરેક ભક્તો અહીં

આવીને ભક્તિથી અને શ્રદ્ધાથી આવે છે. આ ખોડિયાર માતાજીનું મંદિર 200 વર્ષ જુનું છે.

એવું કહેવાય છે ગુજરાતમાં મુખ્ય ત્રણ ખોડીયાર મંદિર જોવા મળે છે. એક ગળાથરા, રાજપરા અને

આ ત્રીજું માટેલ. ત્રણેય મંદિર પાછળ એક ઇતિહાસ આવેલો છે. લોકવાયકા પ્રમાણે ખોડિયાર માતાજીનું

અસલીમાં નામ જાનબાઈ હતું. અને તેને છ બહેનો હતી. જેના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ,

હોલાઈ અને સોસાઇ. અને ખોડીયાર માતાના માતાનું
નામ દેવળમાં અને પિતાનું નામ મામડીયા હતું. તેનો જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું રોહીશાળા છે.

માટેલમા ખોડીયાર માતાના મંદિરમાં સોના અને ચાંદીના છતર છે. અહીંયા એક પાણીનો ધરો પણ

આવેલો છે. જે ક્યારેય ઉનાળામાં પણ ખૂટતો નથી. એટલે જ તેને માટેલ ધરા વાળી માતાજી કહેવામાં

આવે છે. આ ગામમાં પાણીને ગળ્યા વિના જ પીવાની પ્રથા છે. એવું કહેવાય છે કે આ માટેલ

ધરામાં માતાજી નું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહ 999 કોષ પાણી ખેંચવા

પ્રયત્નો કર્યા હતા. અને પાણી ખેંચી લેતાં સોનાનો શિખર દેખાણું હતો. અને ત્યારબાદ માતાજીએ

પાણીનો પોકાર કરી ને બોલાવ્યા અને બધું પાણી છે તેને ખેંચ્યું હતું તે પાછું ધર્મ જતું રહ્યું.

આ રીતે માતાજી એ પોતાનો પરચો પુર્યો હતો. ત્યારથી જ લોકો માટેલ ધરા વાળી ખોડીયાર માને

ખૂબ જ માને છે. માટેલ ગામમાં પ્રવેશ કરતા જ પહેલા માટેલીયો ધરો આવે છે. ત્યારે દરેક ભક્તો

એવી શ્રદ્ધા રાખે છે કે જ્યારે માટેલ ગયા હોય ત્યારે પેલા માટેલ ધરા માંથી પાણી માથા પર ચઢાવવો.

ત્યારબાદ અહીં એક વરખડી નું વૃક્ષ આવેલું છે. જેની નીચે ખોડીયારમાની બે બહેનો જોગલ અને

તોગલ બંને ઉભા છે. ત્યારબાદ માટેલ ધરા ની બાજુમાં એક નાનો ધરો આવેલો છે જેને ભાણેજીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે.

ભાણેજીયાની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જુના મંદિર માં ખોડીયાર માતા જૂનું

મંદિર માં સોના અને ચાંદીના છતર પણ છે. બાજુમાં નવા ખોડીયાર મા ના મંદિર પાસે આરસ પથ્થર ની

સુંદર મૂર્તિ પણ આવેલી છે. અહીંયા ભક્તો પોતાની માનતા પૂરી કરે છે. અને લોકો દૂર-દૂરથી પગપાળા

ચાલીને આવે છે. એક લોકવાયકા પ્રમાણે માતાજીનું નામ ખોડીયાર માં પડવા પાછળ એક કથા આવેલી છે.

એક વખત મામડિયા ચારણનાં સૌથી નાનો દીકરો એવા મેરખિયાને ખુબજ ઝેરી સાપ કરડ્યો હતો.

ત્યારે તેના માતા-પિતાને વાત મળતા જ તેના માતા પિતા અને તેની બધી બહેનોના જીવ અદ્ધર થઇ ગયો

હતો. અને ફટાફટ ત્યાં મેરખીયા પાસે પહોંચી ગયા હતા. અને દરેક વિચારવા લાગ્યા હતા કે આ જીવ

કેવી રીતે કેવી રીતે બચાવી શકાય. અને સાપ નું ઝેર કેવી રીતે દૂર કરી શકાય. ત્યારે કોઈ બોલ્યું કે જો

પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લઇ આવવામાં આવે તો તેનો જીવ બચી જાય છે.

ત્યારે તેની સાથે જ સાતે બહેનોએ પાતાળમાં જવાનું નક્કી કર્યું હતું. પરંતુ સૌથી નાની બહેન જાનબાઈ એ

નક્કી કર્યું. આ સાંભળીને ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું કે સૌથી નાની બહેન જાનબાઈ

પાતાળમાંથી કુંભ લેવા માટે જશે. ત્યારબાદ જ્યારે જાનબાઈ કુંભ લઈને બહાર આવતા હતા. ત્યાં તેના

પગમાં ઠેસ વાગી અને ત્યાં તે થોડો ટાઈમ માટે રોકાઈ ગઈ. અને તેના માતા-પિતા વિચારવા લાગ્યા

કે જાનબાઈ હજી સુધી કેમ નથી આવ્યું હોય.
જાનબાઈને પગની ઠેસ વાગતા તે ચાલી શકતા ન

હતા. ત્યારબાદ જાનબાઇ મગરની સવારી કરીને તે ત્યાં પહોંચી ગયા. ત્યારથી જ ખોડિયાર માતાનું

વાહન મગર છે. ત્યારબાદ જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવ્યા હતા.

એટલે જ તેનું નામ ખોડીયાર પડ્યું હતું. આપણા સમાજમાં ઘણા લોકો ખોડિયાર માતા ને પોતાની

કુળદેવી તરીકે પુજે છે. અને શ્રદ્ધા તેના ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખે છે. જો કોઈ શ્રદ્ધા અને ભક્તિભાવથી

ખોડીયાર માતાની પૂજા કરે તો તે પ્રસન્ન થાય છે. અને દરેકને સમસ્યા દૂર કરે છે. અને દરેક મનોકામના પૂરી કરે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *