માતાજી મોગલતો 18 વરણની મા કહેવામાં આવે છે. માતાજી મોગલ પર જે વ્યક્તિ સાચી શ્રદ્ધા અને
વિશ્વાસ રાખે તે વ્યક્તિના કામ આજે પણ માતાજી કરે છે અને માતાજી પોતાના ભગતને ક્યારેય દુઃખી
જોવા માગતી નથી અને માતાજી મોગલ ના દર્શન કરવાથી તમામ લોકોના દુઃખો પણ દૂર થાય છે
અને ત્યારે ગુજરાતની અંદર મોગલ માતાજીના અનેક મંદિરો આવેલા છે અને તમામ મંદિરોમાં લોકો
સાચી શ્રદ્ધાથી દર્શન કરવા માટે જતા હોય છે.મિત્રો તમે પણ માતાજી મોગલ ના અનેક પરચાઓ વિશે
સાંભળ્યું હશે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માતાજી મોગલ ના ધામ સુધી આવતા હોય છે
અને માતાજી મોગલ ના મંદિરે આવનાર તમામ લોકોને ધન્યતા નો અનુભવ પણ થતો હોય છે.મિત્રો
આપણે પણ જાણીએ છીએ કે ભગવાન તો આપણને પૈસા આપે ભગવાન થોડો પૈસા નો ભૂખ્યો
હોય પરંતુ ભગવાનને તો આપણો ભાવ શ્રદ્ધાને વિશ્વાસની જરૂર હોય છે ત્યારે કચ્છના કબરાઉ
ખાતે મોગલ ધામ મંદિરેમાતાજીની સેવા કરનાર મણીધર બાપુનું કેવું છે કે માતાજી મોગલ ઉપર જો
સાચા દિલથી અને શ્રદ્ધા રાખવાથી તમારા તમામ કાર્યો પૂરા થાય છે અને માતાજી પર માત્ર વિશ્વાસ
રાખવો જોઈએ અને ભાવ હોવો જોઈએ માતાજી ક્યારે પૈસાની ભૂકી હોતી નથી.મણીધર બાપુ
અવારનવાર કહેતા હોય છે કે તમારે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ અને બાપુ તો એમ કહે છે કે માતાજી
પર માત્ર વિશ્વાસ રાખો. બાપુ કહે છે કે મને એક રૂપિયો લવ તો પણ માતાજી મને સજા આપે અને હું
પણ તમારા પૈસા લેવા વાળો તમે તમારી બેન દીકરીને રાજી કરો એટલે માતાજી મોગલ ખૂબ રાજી છે.