માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલનું નામ લેવાથી જ ભકતોના બધા દુઃખો દૂર
થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરતાંની
સાથે જ ભક્તોના બધા દુઃખો માં મોગલ દૂર કરી દે છે, જે ભક્તો માં મોગલના દરવાજે આવે છે તે
ભક્તો આજ સુધી કોઈ દિવસ નિરાશ થઈને ઘરે પરત જતા નથી. માં મોગલ પોતાના દરવાજે આવતા
દરેક ભકતની મનની મુરાદ પુરી કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે, માં મોગલનું નામ લેવાથી જ
લોકોના ભલભલા દુઃખો પણ દૂર થઇ જાય છે, હાલમાં એક મહિલા પોતાના હાથમાં ૫૦ હજાર
રૂપિયા લઈને કબરાઉ માં મોગલના ધામમાં આવી પહોંચી હતી, ત્યાં આવીને આ મહિલાએ કહ્યું કે મારે
આ રૂપિયા માં મોગલની મહાઆરતી તરીકે આપવા છે.મહિલાએ જણાવતા કહ્યું કે તેની ઉંમર હજુ નાની
છે અને તેના પતિનું મૃત્યુ થઇ જતા તેના પર દુઃખના પહાડો તૂટી પડ્યા હોય તેવું દુઃખદ વાતાવરણ
સર્જાઈ ગયું હતું, આ મહિલાને બે સંતાનો પણ છે. તેથી માં મોગલે આજે આ મહિલાને હિંમત આપી
છે. માં મોગલના કારણે જ આ મહિલાના જીવનના જેટલા પણ દુઃખ હતા તે બધા જ દુઃખો દૂર થઇ ગયા છે.
તે માટે આ મહિલા ૫૦ હજાર રૂપિયા માં મોગલની મહાઆરતી તરીકે આપવા માટે આવી હતી તો
મણિધર બાપુએ તે મહિલા પાસેથી ૫૦ હજાર રૂપિયા લીધા અને કહ્યું કે તું મારી દીકરી છે અને માં મોગલે તારી બધી જ મનોકામનાઓ પુરી કરશે.
ત્યારબાદ મણિધર બાપુએ તે રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તે રૂપિયા તે મહિલાને પાછા આપી દીધા
અને કહ્યું કે માં મોગલે તારી બધી જ મનોકામનાઓ પુરી કરી, આથી માં મોગલમાં વિશ્વાસ રાખવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે.